મન
મારા હાથ માં ક્યાં છે મન મારુ ?
કંઇક કહું તો બહેરુ થઇ જાય છે
ને લગામ બધી રાખે એના હાથ માં
પછી દોડ્યા કરે,
અંધાધૂંધ જ્યાં-ત્યાં
દોડવા દઉં ત્યારે,
બીજુ શું કરું ?
હારે થાકે ત્યારે આવે પાછું
ને અજંપા ની પથારી માં સુવે
પછી ફેલાવે,
ભયાવહ શાંતિ
ને જુએ એની નજર સામે
તરફડી ને મરતા સ્વપ્નો ;
પણ હિમ્મત ન હારે કદી,
ફરી પાછી પહેરી લે
આશાઓ ની પાંખો
ને ચાહ્યુ જે એ મેળવવાની
કરી મૂકે અંધાધૂંધ દોડ......
પૂર્વી બ્રહ્મભટ્ટ
No comments:
Post a Comment