મારા ભીતરને અજવાળો ગુરુજી
મારા આતમને અજવાળો ગુરુજી
માયાને ના જાણી શક્યો હું
ને ના એ શબ્દ પારખી શક્યો
હું છું નુગરો
તમે આ શબદના ઝળહળતા દીવા પ્રગટાવો
ને મારા આતમને અજવાળો ગુરુજી
શ્વાસની સાથે અંદર જાતું
શું છે એ નિરાકારી
ઝીણી ઝીણી ઝાલર વાગે ને અંતર રણઝણી ઉઠી
રુવે રુવે દીવા પ્રગટાવી
એ નિરાકારી ઓળખાવો ગુરુજી
મારા આતમને અજવાળો ગુરુજી
લોકો કહે છે લાખ ચોરાસી યોની ફર્યા ત્યારે આ યોની મળી
મારી આ યોનીનો ફેરો તમે સુધારો ગુરુજી
મારા આતમને અજવાળો ગુરુજી
મારા ભીતરને અજવાળો ગુરુજી
ભરત પ્રજાપતિ 'અદિશ'
No comments:
Post a Comment