*ગુરૂ........... *
જીવનમાં જેને સાચા ગુરૂ મળ્યા
સંશય સઘળા પળભરમાં ટળ્યા,
ભટકેલી રાહમાં ભૂલ્યા જે ભાન
એવા કુમાર્ગ જનાર પાછા વળ્યા
વાલિયામાંથી એ વાલ્મીકિ થયા
જ્યારે ગુરૂ સપ્તર્ષિ સાથ મળ્યા
એકલવ્ય, અર્જુન બાણાશાળી થયા
ગુરૂ દ્રોણનાં જેમને જ્ઞાન મળ્યા
ગુરૂ સંગ જોને સર્વ અંધાર ખાળ્યા
સાચા જીવનપથ પર અમે ઝળહળ્યા
- મનન
મનુ.વી.ઠાકોર
No comments:
Post a Comment