એક પીંછું જો લખું , ચિતચોર થાશે,
કેટલાં પીંછાં લખું તો મોર થાશે !
કાઢશે ચાખીને શબરી તો અલગ એ,
રામ માટે તો એ મીઠાં બોર થાશે !
ક્યાં જશોદાને ખબર એની હતી કંઈ?
કૃષ્ણનું તો નામ માખનચોર થાશે ?
કંસનો વધ અંતમાં જ્યારે એ કરશે,
કૃષ્ણનો જયનાદ ચારેકોર થાશે !
છે જીવન રાધા વિના તો રાત ઘેરી,
મળશે જ્યારે રાધા,પાછી ભોર થાશે !
- હેમંત.મદ્રાસી
No comments:
Post a Comment