Aaje maru ek tajju majanu geet...
*રોષવિલાપ*
દ્વારિકામાં ગોમતી ને દરિયો તો હોય , એને કાંઠે કદંબ ક્યાંથી લાવશો?
શંખ અને ચક્ર બેઉ હાથોમાં ધારવા વાંસળીને દરિયામાં નાખશો ?
જોજો કે કોક દિ આ હૈયામાં વાંસ જેમ પીડાના વન ઉગી આવશે ,
અંદર ને અંદર મેલાતા નિ:શ્વાસ એમાં ઉપરથી અંગારા ચાંપશે.
ખાલીખમ હાથ પછી વેણુ યાચે તો એને ના કહીને મુઠ્ઠી વળાવશો?
તોડી શકાય તો પૂનમની રાતે રાસ રમવાની એષણાઓ તોડજો;
છોડી શકાય તો બીજું કશુ નહીં, આ વૃત્તિ તરછોડવાની છોડજો.
મારા સમ, એક પણ આંસુ પાડીને નીર યમુનાના આજ ના ડહોળાવશો...
નેહા પુરોહિત
No comments:
Post a Comment