Wednesday, 23 August 2017

ગઝલ

વ્હાલું  બનીને  કોઇ  તો  દિલમાં  વસેલું   હોય  છે,
શ્વાસો   મહીં હા ,  યાદનું  ચંદન     ઘસેલું હોય છે.

જો બ્હાર જ્યારે આવશે આસુંપછી,ઓ જિંદગી!
આંખો    તણી એ    છીપનું  મોતી  બનેલું હોય છે.

એકા'દ જણ આવી હ્યદયમાં સ્થાન જો સ્થાપી જશે !
એને  પછી તો આ જગત આખું ગમેલું હોય છે.

બે ચાર    આપી શકે તો   આપજે તારા સ્મરણ,
આ જિંદગીને  જીવવાનું    ક્યાં સહેલું હોય છે?

ને  કોણ ક્યારે છળ કરીને જાય છે  આંખો સમક્ષ,
વિસ્મય  બધુ  કોઈ કપાળે ક્યાં   લખેલું હોય છે.

શૈલેશ ચૌહાણ " વિસ્મય "

No comments:

Post a Comment