Wednesday, 25 October 2017

ગઝલ

નરાતાળ વા'-ના ~ સંજુ વાળા

કહ્યું     કોઈનું     એ   નથી   માનવાના
ચણે  જેઓ  કિલ્લા નરાતાળ  વા' -ના

પ્રગટવું   હશે   તેઓ   પ્રગટી   જવાના
ભલે   સામે   છેડે   મથે   લાખ    વાના

ઊડી ગઈ જો કોયલ તો છોને ઊડી ગઈ
ઘણા   અન્ય    મિત્રો    હશે   ઝાડવાના

સપાટી  ઉપર  જેનું  અંજળ હો આવ્યું
ઝરણમાં  ડૂબી   એ   તરણ   ઝાલવાના

હજુ   કાં  વીતકને   કચકડે   મઢે   છે ?
હજુ   યત્ન   બાકી   છે   ઉગારવાના ?

ભવોભવનું  ભાથું  સ્મરણ  એક-બે  છે
અને      એક - બે      રંગ    ઉમેરવાના

કર્યા  સ્હેજ  કવિતા  સમજવાના યત્નો
દિવસ   એટલા  બસ  મળ્યા  જીવવાના

- સંજુ વાળા

No comments:

Post a Comment