તારા થકી......!
આ જગત પર પ્યાર નો અહેસાસ છે તારા થકી,
ને અમાસી રાત નો અજવાસ છે તારા થકી .
જિંદગીમાં કોઇ મૂંઝવણ હોય તોપણ શું થયું ?
શ્વાસમાં ઊર્જા ભરેલો શ્વાસ છે તારા થકી .
જો કદી દૈવત કરે ચૂકી જવાશે રાહ પર,
તો સમયસર સત્યનો અભ્યાસ છે તારા થકી.
આમ તો જીવનમરણનો ખ્યાલ છે ધરતી ઉપર
સેંકડો જનમોજનમ સહવાસ છે તારા થકી .
હોય તડકો કે પ્રબળ આંધી પવનના સંકટો,
ઓ પરમશકિત સદા વિશ્વાસ છે તારા થકી .
જ્યાં હૃદયની વેદના કે મોહ પળપળ પીગળે ,
ત્યાં સમર્પણ ભાવ ને સંન્યાસ છે તારા થકી .
@ નૈષધ મકવાણા
No comments:
Post a Comment