વળાંકો,વિસામા..વિગતવાર કહેજો,
સફરનાં ઉધામા વિગતવાર કહેજો.
પ્રથમ કૃષ્ણને વર્ણવો છો ભલે પણ,
પછી તો સુદામા વિગતવાર કહેજો !
કઈ લાગણીથી દઝાયા, ન કહેતા,
પરંતુ ચકામા વિગતવાર કહેજો.
પળેપળ પ્રપંચો કર્યા છે જીવનભર,
બધા કારનામા વિગતવાર કહેજો.
અહીં કોઈને જે ન ક્હેવાયું એ, ત્યાં-
ભરેલી સભામાં વિગતવાર કહેજો.
~ ડૉ. મનોજ જોશી 'મન'
( જામનગર )
No comments:
Post a Comment