Monday, 2 October 2017

ગઝલ

ગઝલ

વ્યથા  અંદરથી  ફુટશે એવું લાગે છે,,
ખાબોચિયુ તમને  આખું કેવું લાગે છે ??

કાપ્યો ન ઘસારો સુખનો જેને જીવનમાં,
°° એને  પીડાનો  હપ્તો  દેવું લાગે છે.

અગરીયા મીઠું પકવે છે પણ તેમાં તો,,
મીઠું  એની  રોટી પકવે તેવું લાગે છે.

નિષ્ફળતા જૂઓ ડોળાવામાં(ખાબોચિયુ) પરિવર્તે,
પરિશ્રમી-જીવન ઝરણાં જેવું લાગે છે.

પ્રલયની આગાહીમાં નીડર જે વ્યકિત,,
તેને મન મૃત્યું ફળને લેવું [ખરવું] લાગે છે.

પિયુ પાલનપુરી (નરોત્તમ)

No comments:

Post a Comment