ગઝલ
વ્યથા અંદરથી ફુટશે એવું લાગે છે,,
ખાબોચિયુ તમને આખું કેવું લાગે છે ??
કાપ્યો ન ઘસારો સુખનો જેને જીવનમાં,
°° એને પીડાનો હપ્તો દેવું લાગે છે.
અગરીયા મીઠું પકવે છે પણ તેમાં તો,,
મીઠું એની રોટી પકવે તેવું લાગે છે.
નિષ્ફળતા જૂઓ ડોળાવામાં(ખાબોચિયુ) પરિવર્તે,
પરિશ્રમી-જીવન ઝરણાં જેવું લાગે છે.
પ્રલયની આગાહીમાં નીડર જે વ્યકિત,,
તેને મન મૃત્યું ફળને લેવું [ખરવું] લાગે છે.
પિયુ પાલનપુરી (નરોત્તમ)
No comments:
Post a Comment