Sunday, 28 October 2018

ગઝલ

_પરવારીએ જરાક ,સમય લઈ  વિચારીએ_
_મનને  જીવાડીએ  કે  હવે  મનને મારીએ_

_પાંખો જો હોય તો તો પળમાં પ્રસારીએ_
_પંડિત, કહો ને કેમ  આ તર્કોને તારીએ?_

_બહુ બહુ તો જીવ ઝાંખે ઝરુખે કે બારીએ_
_આકાશ   કેમ   આખું   હેઠુ   ઉતારીએ ?_

_ઝબકી જવાય ત્યારે જગાડી જતાં તમે_
_ને  ઊંઘમાં ય  તમને  आंखोमां ઠારીએ_

_બીજું  કશું ય  હાથવગું  કામ  ક્યાં  રહ્યું?_
_તમને કહી ગઝલ અને દિવસ ગુજારીએ_

       ભરત ભટ્ટ

No comments:

Post a Comment