શામ સલુણા રંગો લઈને ગઝલ કહે કોઈ;
આંખોમાં મોતીયન સી માલા અસલ વસે કોઈ!
સાંજ પડે ને એકલ એકલ મૌન ગ્રહી લઉં એવું---
ભીતર બાહર ના ઊતરે એ અમલ ભરે કોઈ !
પડછાયો પણ થાય અહીંયા જળરેખા સમ લાંબો;
જલપરીઓને જળમાં દેખી તરલ બને કોઈ !
સાંધ્યઆરતી સમય થયો કે ઘંટારવ સમ બાઝે--
ધીનો દીવો ઝળહળ ઝળહળ સકલ બળે કોઈ !
મૃણમયી ધરતી અંધારાને એમ ગળે વળગાડે--
અભિસારિકાને પથ નમણો અચલ જડે કોઈ !
19:15 -------ગુણવંત ઉપાધ્યાય
12042018
No comments:
Post a Comment