ખામોશીમાં ખાસ્સું કહીને શું કરવા મદહોશ કરે છે.
નીતરતામાં મૌન વહીને શું કરવા મદહોશ કરે છે.
ઘેન હતું તે ચોરી લેધું, કૈં રીતે હું આંખો ખોલું ?
અંધારામાં ચાંદ ગ્રહીને શું કરવા મદહોશ કરે છે.
દુધ ઘડામાં દ્રાવણ દઇને ધીમે ધીમે ઘટ્ટ કરે છે.
બાદ વલોવી નાખી દહીંને શું કરવા મદહોશ કરે છે.
પ્રથમ મને ખુલાસો એક જ વાતનો તારે કરવો પડશે
“હા” જ નથી તો રોજ “નહીં” ને શું કરવા મદહોશ કરે છે.
મત્લામાં જે કહ્યું એનું એ જ કહું છુ મક્તામાં હું
આ રીતે ચૂપચાપ રહીને શું કરવા મદહોશ કરે છે.
--- ધર્મેશ ઉનાગર
No comments:
Post a Comment