ગઝલ
હોય એનાથી વધારે ક્યાં સુધી લખવું, કહો ?
આમ કોઈના ઈશારે ક્યાં સુધી લખવું, કહો ?
ના કશું પણ તો નવું લખવા નથી દેતા તમે,
સાવ જૂના એ વિચારે ક્યાં સુધી લખવું, કહો ?
કોઈ ના વાંચે કે ના કોઈ જો છાપે આ ગઝલ,
તો સતત આ રીતે મારે ક્યાં સુધી લખવું, કહો ?
સત્યને તો સૌ દબાવી દેવા માંગે છે અહીં,
આમ આ તલવાર ધારે ક્યાં સુધી લખવું, કહો ?
રાત આખી આ ગઝલ માટે મથામણ મેં કરી,
ઊંઘ આવે છે સવારે, ક્યાં સુધી લખવું, કહો ?
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment