.
---- ભજન---
મારૂ મારૂ કર ન મનવાં;
તારૂ નથી અહીં તલ ભાર જી,
યમનાં જ્યારે તેડા આવશે;
પડ્યું રહેશે બધું પ્યારું જી.
છે જીવ ત્યાં સુધીનું છે સગપણ;
સગા આપશે સાથે એકલું ખાપણ,
તારૂ મારૂ છોડી હવે
રાખને બધું સહીયારું જી.
ભૌતિક સુખમાં કશું ન મળે,
મળશે આંસુ તને ખારૂ જી,
જ્યોત અંદર સદા ઝળહળે,
તું દૂર કર તારૂ અંધારું જી.
બાર દિવસ રડશે બધાં
તેરમાં દિવસે મિષ્ટાન્ન જમશે સારૂ,
ત્યાર પછી ભૂલશે બધાં
હોય મા-બાપ કે બેન-ભારૂ.
માટે કહે 'નિરાશ' આજે
મારૂ મારૂ ન કર મનવાં
કશું નથી તારૂ.
રત્નેશ અલગોતર "નિરાશ"
No comments:
Post a Comment