Friday, 27 January 2017

ગઝલ

લઈ માટીને તેં ચાકડે મૂકી,

ઘડી મૂર્તિ સુંદર આકારની;

રંગ કર્યો તેને નિર્દોષતાનો,

ભરી નાટ્યકલા ભારોભારની;

છળકપટ ભર્યુ ઠાંસી-ઠાંસી,

ન ખોટ રાખી તલભારની;

સાંભળી બોલ્યા ભગવાનશ્રી :

મૂર્તિ તો ઘડી માણસની, પણ;

તેમાં ખોટ રાખી માણસાઇની.

                     -નરેન્દ્ર ચૌહાણ 'નરેન'

No comments:

Post a Comment