विश्व कविता दिवस निमिते एक ग़ज़ल । ગઝલ
મને તો જિંદગી દુખ મા બહુ ઝળહળતી લાગે છે,
નિરાશાઓ બધી રસ્તા મહી ટળવળતી લાગે છે.
નિશાના ઘોર અંધારે અને આ ભાંગતી રાતે
હજી અવનિ ઉપર આશાની શમા બળતી લાગે છે.
સુણાવ્યુ તે મને જે કાઈ કથન ઍ નથી મારુ.
મને ઍમા બીજી કોઈ કહાણી ભળતી લાગે છે.
કલા જીવવાની જો ના આવડે તો જિંદગી આખી,
શીતળતા સુખની પણ બપોર ઍક બળબળતી લાગે છે.
તમે જે કાઈ જુઓ છો બધુ સાચુ નથી હોતુ,
ઘણી વેળા નજર ખુદ ની જ ખુદને છળતી લાગે છે.
કબર ખોદી ફરી ઍક વાર મારી જોઈ લ્યો મિત્રો,
કે ઍમા જિંદગી થોડી હજુ સળવળતી લાગે છે.
દિલીપ वी ઘાસવાલા
No comments:
Post a Comment