Tuesday, 18 April 2017

ગઝલ

વિચારો ને મારા વર્તનમાં લાવવા છે
કોરી આંખમાં મારે સપના વાવવા છે

કરવું છે એવું ડોકિયું સૌની ઉદાસ આંખમાં 
મારે પછી ત્યાં ખુશીઓના તોરણ બાંધવા છે

સબંધો એકેય ઉપરછલ્લા નથી રાખવા 
મારે અંતરની લાગણીથી એને વધાવવા છે 

પ્રેમને બદલે પૈસો ચાલતો થયો છે જગમાં 
મારે ત્યાં ફરી પ્રેમ ના પુષ્પો ખીલવવા છે

મરવા પડી માણસાઈ ને નેકી ટેકી જ્યાં 
મારે ત્યાં વીણી વીણીને પ્રમાણિકો ને પૂજવા છે 

કહે સતીષ મળ્યો માનવ દેહ એનાથી
મારે સહુના ચહેરા પર સ્મિત સજાવવા છે 

                                   - સતીષ સખીયા

No comments:

Post a Comment