Tuesday, 11 April 2017

અછાંદસ

એ લજામણી નો છોડ

એ લહેરખી પવનની

એ પાંખો સ્વપ્નોની

એ વાદળી

એ પતંગિયું

એ સારી મિત્ર

હું સુદામો

એને ના ગમ્યું નામ મૈત્રીનું

મારા પાંપણે આંસુની ક્યારી

ને

કહ્યું મેં

હું કોઈ નહિ

તું ક્યાંય નહિ

ને એ હસી

જીવનભર સાથે-સાથે....

'એને'

સંબંધને નામ આપવા નહોતા ગમતા ....

ને હું માનતો

જે સંબંધમાં બંધન નથી હોતા

એ સાચા સંબંધ નથી હોતા ....

ને એ કહેતી ..આ સંબંધ નહિ,

આ તો લાગણી

ને લાગણી તો જન્મે અને મરે

તું ને હું મુક્ત પંખી ......

ને મેં મનને મનાવી

બંધ ના કરેલું

પાંજરું ખોલી દીધું ........

ચિરાગ આર. કોઠારી

No comments:

Post a Comment