Friday, 2 June 2017

ગઝલ

કોઈને સદવ્યવહાર બદલી જાય છે,
કોઈને અત્યાચાર બદલી જાય છે !

આ આયનો તો એનો એ હોવા છતાં ,
આગળ જતાં અણસાર બદલી જાય છે ! *

જોઉં  તને જો આવતાં  સામેથી ને
દિલનો તરત ધબકાર બદલી જાય છે !

કાયમ વિજય જીવનમાં  ના કંઈ શીખવે ,
જીવનનો રસ્તો, હાર બદલી જાય છે !

એ હોય છે તો પારદર્શક , તે છતાં
પ્યાલાને રસની ધાર બદલી જાય છે !

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment