Tuesday, 29 August 2017

ગઝલ

આ ક્ષણો મુજમાં ભળે તો થાય શું?
ને નજર તારી ઢળે તો થાય શું ?

ક્યાંક તડકો નીકળે તો થાય શું?
જાત અંધારું ગળે તો થાય શુ?

બેધડક હું તારી પાસે આવું પણ-
બર્ફ ભીતર પીગળે તો થાય શું?

વાત મારે દર્દની કરવી નથી,
તોય વાતો નીકળે તો થાય શું?

જીંદગીથી હું ઘણો આગળ ગયો,
તોય જો એ ના મળે તો થાય શું?
અદિશ

No comments:

Post a Comment