Friday, 18 August 2017

ગઝલ

ગઝલ

ઓરતાને   ઘૂંટયો  ને , લ્હેરમાં   આવી   ગયા,
ગીત છોડી ને  ગઝલના ,શેરમાં  આવી ગયા.

શ્વાસથી  તો  શ્વાસ   ખૂલ્યા, બાજરીના ખેતમાં,
આભલાનાં  તારલાઓ,  જોરમાં  આવી  ગયા.

નાચતો 'તો  પાંખ વીંઝી , મોરલો એ  બાગમાં,
જીવવાના  ભાવભીના , પ્હોરમાં  આવી  ગયા.

નોખનોખાં  પીપળાના ,સાત  ફેરા   છો   ફર્યા,
ચીતરેલા  વારસાના ,  તોરમાં   આવી  ગયા.

આયખું   તો  વાંઝણું  છે,  જીવવું    છે   કેટલું ?
મૌન કાલે   તૂટયું   ને,   શોરમાં   આવી ગયા.
                              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment