Wednesday, 27 September 2017

ગઝલ

!!   ગઝલ   !!

સ્નેહનું  સગપણ  હશે તો  ચાલશે ,
દર્દનું     મારણ   હશે  તો  ચાલશે .

મેં  કશી આશા નથી  રાખી  છતાં,
બે'ક મીઠી  ક્ષણ  હશે તો ચાલશે .

તું અગર મળવા ચહે તો આવજે,
કાંઈ પણ કારણ હશે તો ચાલશે.

ફક્ત  જો  હુંકાર  તારો હોય તો ,
રાત,આંધી, રણ હશે તો ચાલશે.

સોળ આ શણગાર કયાંથી લાવવા?
આંખમાં આંજણ  હશે તો ચાલશે.

ને  કદી  તારી  વ્યથાના  બોજ પર ,
સત્યનું  દર્પણ   હશે  તો  ચાલશે .

વેદના  વરસી  પરસ્પર  હોય તો ,
જીભ પર ગળપણ હશે તો ચાલશે .

જિંદગીની  ભીડમાં  થાકયા વગર,
અંતમાં   સમરણ  હશે તો ચાલશે.

                  @ નૈષધ મકવાણા
                                વડોદરા .

No comments:

Post a Comment