Monday, 6 February 2017

ગઝલ

જ્યારથી  આખી  કથા  સમજાઈ  ગઈ  છે,
કૈંક  પીડા  સામટી  સચવાઈ  ગઈ  છે.

હસ્તરેખામાં  લખેલું  ક્યાં  થયું  છે  ?
અધવચ્ચે  આ  જિંદગી  અટવાઈ  ગઈ  છે.

છે  સરોવર  યાદના  આજે  છલોછલ,
સાચવેલી  એ  છબી  ભીંજાઈ  ગઈ  છે.

બંધ  રાખેલી  અમે  મુઠ્ઠી  અમારી,
ભાગ્યની  તો  યે  કથા  ચર્ચાઈ  ગઈ  છે.

અર્થ  સમજ્યા જ્યારથી  ભીની  ક્ષણોનો,
આંખડી  આ  ત્યારથી  છલકાઈ  ગઈ  છે.

- અરવિંદ પંડયા

No comments:

Post a Comment