Wednesday, 19 April 2017

ગઝલ

ભક્તિના નામે હવે ઈશ્વર ડરે.
માનતા જ્યાં ભક્ત પણ એવી કરે.

અંધશ્રદ્ધાનો કોઈ તોટો નથી;
રામ નામે પથ્થરો ક્યાં ક્યાં તરે?

સ્પર્શ ત્યાં  સંજીવનીનો ના ફળે;
જીવતી જ્યાં લાશ લઈ માણસ ફરે.

બ્રહ્મચારી કોઈ ઈચ્છા ના રહે;
મેનકા થઈ ચૈન જો સૌને વરે.

તું બની સર્જક  અમર ક્યાં  થઈ ગયો;
થઈ નિરાશા રોજ તું  હૈયે  મરે.

                -સર્જક
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)

No comments:

Post a Comment