કોણ જાણે ક્યાં સુધી,કેવું અનુસંધાન છે ?
શ્વાસ નામે વારતાનું એજ કોરું પાન છે
જાગવા કે ઝૂરવાની વાત અડધી મેલ તું;
જો અહીં તોં ઉંધનુંયે આગવું વેરાન છે.
સામસામે એય ઉભા લાગણીના કાફલા
આદમીની આંખ છે કે યુંધ્ધનું મેદાન છે.?
જાત સાથે જંગ ખેલ્યા બાદની હળવાશને,
એકલા જીવ્યે જવાનું આખરી ફરમાન છે.
આ તરફ'નારાજ'આખ્ખું આયખું બેબાકળું,
એ તરફથી એય એની જાતથી બેધ્યાન છે
-ચંદ્રેશ મકવાણા.
No comments:
Post a Comment