સંત – રમેશ પારેખ
પાંચીકાના હોય, હોય નહીં કદી સંતના ઢગલા
સંત સહુને મુકિત વહેંચે, નહીં વાઘા, નહીં ડગલા
કેવળ હસ્તી; ગરીબાઈ કે ગરથ અડે નહીં કશાં
નિજમાં નિજની મબલખ મસ્તી, છતાં ઉન્મની દશા
ટેવે સૌને સરખાં, એને નહીં અરિ, નહીં સગલાં
આજ કોઈને ફળિયે, કાલે કોઈ અરણ્યે જડે
પડે ન સ્હેજે ખુદનો ડાઘો એમ જગતને અડે
દુર્લભ એ દરવેશ કે જેનાં કાળ સાચવે પગલાં
પાંચીકાના હોય, હોય નહીં કદી સંતના ઢગલા
સંત સહુને મુકિત વહેંચે, નહીં વાઘા, નહીં ડગલા
રમેશ પારેખ
No comments:
Post a Comment