Wednesday, 5 April 2017

ગઝલ

સંત – રમેશ પારેખ

પાંચીકાના હોય, હોય નહીં કદી સંતના ઢગલા
સંત સહુને મુકિત વહેંચે, નહીં વાઘા, નહીં ડગલા

કેવળ હસ્તી; ગરીબાઈ કે ગરથ અડે નહીં કશાં
નિજમાં નિજની મબલખ મસ્તી, છતાં ઉન્મની દશા

ટેવે સૌને સરખાં, એને નહીં અરિ, નહીં સગલાં

આજ કોઈને ફળિયે, કાલે કોઈ અરણ્યે જડે
પડે ન સ્હેજે ખુદનો ડાઘો એમ જગતને અડે

દુર્લભ એ દરવેશ કે જેનાં કાળ સાચવે પગલાં

પાંચીકાના હોય, હોય નહીં કદી સંતના ઢગલા
સંત સહુને મુકિત વહેંચે, નહીં વાઘા, નહીં ડગલા

        રમેશ પારેખ

No comments:

Post a Comment