Wednesday, 5 April 2017

અછાંદસ

ભીતર નર્યું ખાલી-ખાલી જ છે.
બહારનો કોલાહલ શ્વાસમાં ભરી લઇ તેને ભરવા મથુ છું.
અંતર લગી કંઈ પહોંચતું જ નથી.
એ એમનું એમ ખાલીખમ જ રહે છે.
વળી વ્યસ્તતાથી ઠાસોઠાંસ અસ્તિત્વને ભરવા મથુ છું, પણ! માયલો જરા અળવીતરો છે.
કોઈ બહાના ચલાવતો નથી અંદર.
ભીતર એના ખાલીપણા સાથે ઝુરતુ રહે છે.
હું બધાંજ બાહ્ય ઉપચારો કરે રાખું,  અંતર પડ્યુ છે બસ એના ખાલીપા સાથે.
રૂહાની..........

No comments:

Post a Comment