સુંવાળા શબ્દની પણ એમને તો ધાર લાગી ગઇ,
અમારી લાગણી પણ જાણે અત્યાચાર લાગી ગઇ.
અમે ઉચ્છવાસ મૂક્યો ને નવો આ શ્વાસ લીધો બસ...
અને બસ એટલામાં આપ કહો છો ‘વાર લાગી ગઇ !’
મુસીબત એમણે તો મોકલી‘તી મોટી સંખ્યામાં,
અમે સાવધ રહ્યા પણ તે છતાં બે–ચાર લાગી ગઇ.
જરા સંભાળ લઇએ ખુદની ત્યાં તો પાછા વિખરાયા,
તમારી ઓઢણી અમને આ બીજી વાર લાગી ગઇ.
સરળ છે એમ સમજીને બધા ફટકારવા લાગ્યા,
ગઝલને એટલે તો આટલી ફટકાર લાગી ગઇ.
– કિરણસિંહ ચૌહાણ
No comments:
Post a Comment