Tuesday, 11 April 2017

અછાંદસ

દોઢ વર્ષ થી જાણિતો છતાંય
આજ અજાણ્યો લાગે છે
મને તો આજ માત્ર એ
પહેલી મુલાકાત નો પડછાયો લાગે છે..

પાનખર માં પણ વસંત જેમ
મહેકતો એ
મને તો આજ ખરેલાં પાન જેવો લાગે છે...

હંમેશા મીઠી નદી ની જેમ ખળખળ વહેતો..
આજ ખારા સાગર નો કિનારો લાગે છે..

ના પુછો કોઈ 'અનેરી' ને
શું કામ એ આવો લાગે છે?

એને તો બસ એ પહેલી મુલાકાત નો પડછાયો લાગે છે..
  -અંકિતા છાંયા (અનેરી)

No comments:

Post a Comment