Tuesday, 30 May 2017

ગઝલ

*પલ | હૃદયનો સીધો અનુવાદ*

મૌન માધવનું કળીને ક્યાં જશો ?
દ્રૌપદી માફક રડીને ક્યાં જશો ?

પાર્થને તો *યુદ્ધ એ કલ્યાણ* છે,
ભીષ્મજી જેવું લડીને ક્યાં જશો ?

કૌરવો પર જીત કંઈ સ્હેલી નથી,
કૃષ્ણના રથમાં ચડીને ક્યાં જશો ?

સાત કોઠામાં મને જીત્યા પછી,
આઠમે દ્વારે નડીને ક્યાં જશો ?

એ કવચ-કુંડળ ઉતારી લઈ ગયા,
તોય પૈડાને ગળીને ક્યાં જશો ?

*આલાપ*
#CM_Sarkaar

No comments:

Post a Comment