Friday, 14 July 2017

ગઝલ

મંદિરમાં પ્રભુ વ્યસ્ત હોય.
દિલ વહાલથી ભરચક હોય.

દર્શનમાં તારો સાદ હોય,
સંવેદનાનો ના અભાવ હોય.

જીંદગી છે મારી રાહ પર,
તારો સાથ અનમોલ હોય.

ધન દોલતની ન કોઇ વિશાત,
સ્નેહ તારો માલામાલ હોય.

નાની એવી આ જીંદગીમાં,
પ્રભુ તારો જ સાથ હોય.

પારસમણીનો સ્પર્શ થાય,
રુહાનાનો ફેરો સફળ હોય.

   આરતીસોની રુહાના

No comments:

Post a Comment