લાગણી માં ઓટ આવી શકે?,
સ્થિતિ એ પછી મને મારી શકે.
પ્રણય એક ગાંડપણ નથી તો શું?,
કેટ કેટલો મને એ રડાવી શકે?
હોય હથિયાળ હાથ માં કે નહીં,
નજર ના બાણ થી મને વીંધી શકે.
સદા એકાંત માં જીવતો જીવ પણ,
ક્યારેક કાફિલા આખા માં જીવી શકે.
ના સચવાય જ્યાં મૌન નો મહિમા,
ત્યાં જ બધા ઉહાપોહ સર્જાઈ શકે.
હું તો નિત્ય કરું પૂજા પ્રિયતમ ની,
પ્રાર્થના મારી એ ના સાંભળી શકે.
મૃગજળ બની ને આવે ક્યારેક તું તો,
શક્ય છે કે 'ધર્મ' પ્યાસ બુઝાવી શકે.
~ધર્મેન્દ્ર સોલંકી.
૧૧:૫૦, ૨૦/૦૭/૧૭
No comments:
Post a Comment