વિરહ વેદના ની પળે-પળ રડાવે,
વહી જાય તો કાળ પાછો ન આવે
ગુલાબી એ મોસમ ભલા કોણ લાવે ,
વહી જાય તો કાળ પાછો ન આવે ,
વીતાવું હજી પણ વિષાદો ના દા'ડા ,
મરણ સમ બનેલા આ યાદો ના દા'ડા,
નરક માં છું એવા ન દર્શન કરાવે,
વહી જાય તો કાળ પાછો ન આવે
કાસિમ શેખ "સાહિલ "
ગિરહ મિશરો રદીફ તરીકે લીધેલ
No comments:
Post a Comment