એમને ટાણું - કટાણું હોય છે ?
ભૂખ જેનું પ્રિય ભાણું હોય છે
એમ જીવતરમાં છે આંસુની જગા
જેમ ભોજનમાં અથાણું હોય છે
જેમણે વેઢા ભૂંસ્યા હો ચિત્તના
એને શું નેવું - નવ્વાણું હોય છે !
એને સળગાવો પછી મળશે મધુ
હાથમાં ઈચ્છાનું છાણું હોય છે
બૂટમાં ક્યો પગ પ્રથમ મૂકવો : સહિત
પોત પોતાનું ઉખાણું હોય છે.
-- સ્નેહી પરમાર
( " યદા તદા ગઝલ " માંથી સાભાર )
No comments:
Post a Comment