તે લાગણીના વસ્ત્રને પણ વેતરી નાખ્યું હતું,
જે મેં ગમોને ઢાંકવા માટે અલગ રાખ્યું હતુ!
આ સૌ નવાબી શોખ મારો જાન લઇ લેશે કદી,
એ શોખ ખીલવનારે આવા ભાવિને ભાખ્યું હતું!
આવીને આજે તું મને મારી બધું લોહી પી ગ્યો,
લાગે છે પ્હેલાંથી તે લોહીને કદી ચાખ્યું હતું!
આ રોજની શું ખટપટો, એ યાદ કાયમ આવે છે
હા એટલે મેં બારણું દિલનું પછી વાખ્યું હતું.
મણિલાલ જે. વણકર
No comments:
Post a Comment