રાધા
ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા
પ્રેમભીની શ્રાવણીનો પંથ રાધા,
કાનજીને પામવાનો ગ્રંથ રાધા.
વાંસળીના ભૈરવીમાં સૂર બોલે,
લાગણીના પૂરનો તો અંત રાધા.
આંસુઓની બાદબાકી કેમ કરવી ?
ગોપભાવે ચાહતીતી સંત રાધા.
ગીતગોપી, પામવાને બોલતી'તી,
વ્રજવાસી વાયરાનો કંત રાધા.
વેદનાને જીરવીને જીવતી'તી
'કાંત 'તારી લેખિનીની પંત રાધા.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment