કૃષ્ણને તો કારણે છે યાદ રાધા ,
ના હશે જો કૃષ્ણ થાશે બાદ રાધા !
યાદમાં તો કોતરાઈ એ ગયા છે,
કઈ રીતે ભૂલે બધા સંવાદ રાધા ?
જ્યારથી મથુરા ગયા છે કૃષ્ણ છોડી ,
કરતી રહેતી કૃષ્ણને બસ, યાદ રાધા !
સંભળાશે નામ એનું સૂરમાં સૌ,
સાંભળો આ વાંસળીનો નાદ, રાધા !
ના બીજો પર્યાય છે એનો તો કોઈ !
થાય રાધાનો ફકત અનુવાદ રાધા !
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment