કર્મો ની અદાલતમાં, સૌ તળે એવો કાયદો છે,
કે ભોગવ્યા વિના કૈં ના ટળે એવો કાયદો છે.
વાંક વિના એકપણ આફત ક્યારેય કળતી નથી,
પરિવર્તનથી જ આફત વળે એવો કાયદો છે.
પશ્ચાતાપ છે માત્ર ઇજન, સ્વીકારી તે અંતે,
પ્રાયશ્ચિત કર્યે જ મુક્તિ ફળે એવો કાયદો છે.
દુઃખના કારણો જે ગલીઓમાં ગોતી રહ્યો તું,
આત્મશુદ્ધિથી જ શોધ ફળે એવો કાયદો છે.
પ્રભુને દોષ દેજે ના, આ કર્મો ની અદાલત છે,
અપરાધી જ ન્યાયાધીશ બને એવો કાયદો છે.
જનક દેસાઈ
No comments:
Post a Comment