Tuesday, 26 September 2017

ગઝલ

મારી ભીતર ઝાંખવાની વાત ના કર.
આયનાને સાંધવાની વાત ના કર.

ઝેર પાઈને ઉછેર્યો છે મેં ખુદને;
આપી અમૃત મારવાની વાત ના કર.

બર્ફથી પણ આમ દાઝી જાઉ છુ હું;
આગ પાછી ચાંપવાની વાત ના કર.

પાંજરામાં પૂરી શકતી હોય તો  પૂર;
લાગણીમાં બાંધવાની વાત ના કર.

ઝેર એનું  નાથવુ બહું  અઘરું પડશે;
માણસોને પાળવાની વાત ના કર.
સર્જક

No comments:

Post a Comment