નહિ જોઈ શકે હાલત તું, એથી બેખબર રાખી,
કે મૃત્યુ બાદ પણ જો મેં ખુલી મારી નજર રાખી.
.
હતી ઈચ્છા કે રહેશું સાથ જીવનભર ને મૃત્યુ બાદ,
બધાએ એટલે અમ બેવની એકજ કબર રાખી.
.
બધા કહેતા ફરે સૌની ખબર ભગવાન રાખે છે,
પરંતુ જો ખરેખર માણસે એની ખબર રાખી.
.
બધા ચોકી જતા જોઈને મારો ઠાઠ ને વૈભવ,
અરેરે! એટલે મારા ઉપર કાળી નજર રાખી.
.
થતા'તા ભાગલા ઘરના તો પત્ની 'મિત્ર'ની બોલી,
નથી કંઈ જોયતું અમને, અમે તો માવતર રાખી.
.
મિત્ર રાઠોડ
Wednesday, 27 September 2017
ગઝલ
Labels:
મિત્ર' રાઠોડ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment