લાખ ચાહો તે છતાં ક્યાં ધાર્યું તો કંઈ થાય છે ?
જે બદલવા જેવું છે તે પણ તો ક્યાં બદલાય છે ?
ભર બપોરે જેનું કદ તો સાવ નાનું થાય છે,
સાંજે એ પડછાયા સૌના કેવા જો, લંબાય છે !
ધ્યાન જેનું તો નથી હોતું બરાબર લક્ષ્ય પર,
ક્યાં કદી એનાથી કોઈ લક્ષ્ય તો વીંધાય છે !
ના જશોદા તો ખરેખર એમને બાંધે છે, પણ
કૃષ્ણ જાતે સામે ચાલીને સદા બંધાય છે !
સાચવીને રાખજો આ દિલને તો એ કારણે,
તૂટે છે જો એક વેળા, ના ફરી સંધાય છે !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment