Monday, 23 October 2017

ગઝલ

શે'ર લખવામાં ઘણી સાખી લખી,
તોય અંતે તો ગઝલ આખી લખી.

ક્યાં વિષય જડતા હતા પ્રારંભમાં?
તારી યાદોને નજીક રાખી લખી.

કૈંક અ–કવિઓએ અટકાવ્યો છતાં,
એ સલાહો માળીયે નાખી લખી.

એમણે કીધું કે લઇ આવો વળાંક,
તો ઘણી ગઝલો અમે વાંકી લખી.

શું કહું.. બસ આવતી નહોતી ગઝલ,
તેથી સર્જનની અહીં ઝાંખી લખી.

*— કિરણસિંહ ચૌહાણ*

No comments:

Post a Comment