Tuesday, 12 June 2018

ગઝલ

હજી   મનમાં  નારાજી   છે!
ઘણું    ક્હેવાનું   બાકી   છે.

મથાવે       પેટ     માણસને,
નઠારું,   એ  જ   પાપી  છે.

નહીં ખીલે ચમન ત્યાં,જ્યાં
વિચારોમાં   જ  ખામી  છે.

નયન  તારા  પ્રણયનું  ઘર,
અસર તેની જ વ્યાપી  છે.

"ફિઝા"તારી વ્યથા  ઝીણી,
ચહેરે    કોણે   વાંચી   છે!

*કાજલ કાંજિયા "ફિઝા"*
*લગાગાગા લગાગાગા*

No comments:

Post a Comment