Tuesday, 7 March 2017

ગઝલ

કુસુમથી લચેલાં ચમન પર મરે છે,
ને પાંપણ ઝૂકેલાં નયન પર મરે છે.

કબર થૈ જવું કે ચિતા થૈ દહાવું,
ધજા એની ફરકે; વતન પર મરે છે.

નથી ઝૂકતો મંદિરે મૂર્તિને હું,
ભલેને તું ઇશ્વર નમન પર મરે છે.

થઈ કેદ પાંખો; હતાશા વહાવે,
નિરાધાર આંખો ગગન પર મરે છે.

તિરસ્કૃત આંસુ જઈ ઘર નિહાળે,
સહી ભૂખ પોષ્યા;જતન પર મરે છે.

ઘણાં જલિયાં બાગોય સ્મારક બને છે,
ગુલામી સહીને દમન પર મરે છે.
- મુકેશ દવે

No comments:

Post a Comment