Sunday, 21 August 2016

ગઝલ

જે ભીતર અજવાશને ઝાંખે
મૌન ધરે,  કાં મંતર ભાખે

ખોટી ઝાલક નાંખી ઝાંપે
જાણ્યું ના તેડેલું કાખે

ભરચક હો તો પણ ના ભાખે
મળશે બસ એકાદું લાખે

હૂંડી લખવાનું છોડી દે
એ ય લખે ના તારી શાખે?

દરવાજેથી ક્યાં આવ્યું છે?
કે રહેશે દરવાજા વાખે

નોંધી લે મળવાનું થાનક
તારે મારે મળવું રાખે

- સ્નેહી પરમાર
(" યદા તદા ગઝલ " માંથી સાભાર)

No comments:

Post a Comment