Saturday 29 October 2016

ગઝલ

લખી પ્રેમ ની જ્યારે  જ્યારે કહાની,
દિવાલો  રડી છે પછી છાની માની.

ખબર છે ફરી એ નથી  આવવાની,
ધરાઈને   જીવી   લઇએ   જવાની

ઘણીવાર અડધેથી પાછો વળ્યો છું,
ઉતાવળ નથી મંઝિલે પહોંચવાની.

અમારા ઝખમ જોઇ તલવાર બોલી,
અહીં  યાર  તકરાર કાયમ થવાની.

દીવો તારો ઝળહળ થશે આપમેળે,
જરી  લેરખી  આવશે   જો  હવાની.

ચહેરો  બતાવી  શકે ના એ  ખોટો,
અરીસામાં  છે   એટલી  ખાનદાની

મેહુલ ગઢવી 'મેઘ'

No comments:

Post a Comment