કર્મોની વ્યથા અકળાવી રહી છે
જીવતરને હવે ફફડાવી રહી છે.
થયા ના એ જાણ બહાર જાણી
હૈયાને અંદરથી જલાવી રહી છે.
વળી શકાયું પાછું જાણું હું
છતાં ભૂલો ભૂતકાળની ડરાવી રહી છે.
વર્તમાનની ક્ષણો સુધરી રહી છે
સળગેલા સમયખંડની રાખ છતાં ઉડી રહી છે.
જેસલ નથી ના છું હું વાલ્મિકી
મળ્યા ના તોરલ...
મળ્યા ના નારદ...
છતાં સુધારવા ની આશ રહી છે.
છે હવે બે ચાર પળો જ બાકી
જીવી લઉં થોડું સાચું "નીલ"
ભૂલી ભૂતકાળને ....
બસ એજ વર્તમાનની તાબીર રહી છે.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Tuesday 31 January 2017
અછાંદસ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment