Monday 30 January 2017

અછાંદસ

શું થાય?
આભમાં ચાંદ તારા ચમકે!
દિલના બાગ મહેકી ઉઠે,
જો તું હસે તો,
ખુલ્લી આંખે સ્વપ્નલોક
આંખ સામે તરવરે,
ચમકતો ચાંદ અદબથી ઝૂકે,
જો તું હસે તો.
પતઝડમાં વસંત ખીલે
ખુશી આવી હીંચકે ઝૂલે
જો તું હસે તો,
પ્રકૃતિની આ ઝીલમાં
આનંદના પદ્મ દીસે,
ચો તરફ તારી ખુશ્બુ
અનિલ પાથરે ,
જો તું હસે તો.
પણ વિચાર આવ્યો.....!
જો તું રડે તો !
તો..શું થાય???

-સંદીપ ભાટીયા(કવિ)

No comments:

Post a Comment