🍇 *ગુલામી એ સમર્પણ નથી..*
પ્રાર્થના એ ગુલામી નથી...કે,
એનો સ્વીકાર ફરજીયાત કરવો પડે !
તૃપ્તિ અનુભવાય એવો..
સ્વાદ એમાં હોવો જોઈએ..!
પાણી થીજ લિલાછમ્મ બનતા વૃક્ષને
પાણી આપણે સીધું વૃક્ષને નહીં.. ,
જમીન પર સિઁચીએ છીએ...!
વૃક્ષને ભાવે તો પીવે! એટલીઆઝાદી .. ..
એને વણકહી રીતે હોય છે...!
અને.. પરિણામ..! બધા જ વૃક્ષો એને
હોંશે હોંશે પીતા હોય છે ! ' ને
ક્યારેક થતી એની ગેરહાજરી થી..
વૃક્ષ ઉદાસ થઈ જતું હોય છે..!
સંસ્કારસિંચન પણ સહજતા ના સ્વરૂપે હોવું જોઈએ !
" સંસ્કાર" એ તરસ ની તૃપ્તિ બને ,
તો ખરૂં ! બાકી," નિયમિત કસરત"
...એ નૃત્ય ગણાય નહીં...!
ઉમંગ ની અભિવ્યક્તિ વિનાનું..
અણીશુદ્ધ આકારોનું નૃત્ય ..
ભાષા બનતું નથી ! ને નૃત્ય ..
મૂંગુ હોતું નથી ..! એ મૌનની ભાષામા
હોય છે..! એ ભાષા , કાનથી નહીં..
આંખથી ભીતરે ઉતરે છે...!!
- સુરેશ પારેખ
No comments:
Post a Comment