Tuesday 28 February 2017

અછાંદસ

🍇 *ગુલામી એ સમર્પણ નથી..*

પ્રાર્થના એ ગુલામી નથી...કે,
એનો સ્વીકાર ફરજીયાત કરવો પડે  !
તૃપ્તિ અનુભવાય એવો..
સ્વાદ એમાં હોવો જોઈએ..!

પાણી થીજ લિલાછમ્મ બનતા  વૃક્ષને
પાણી આપણે સીધું વૃક્ષને નહીં.. ,
જમીન પર સિઁચીએ છીએ...!
વૃક્ષને ભાવે તો પીવે!    એટલીઆઝાદી .. ..
એને વણકહી રીતે હોય છે...!
અને.. પરિણામ..! બધા જ વૃક્ષો એને
હોંશે હોંશે પીતા હોય છે ! ' ને
ક્યારેક થતી એની ગેરહાજરી થી..
વૃક્ષ ઉદાસ થઈ જતું હોય છે..!

સંસ્કારસિંચન પણ સહજતા ના                           સ્વરૂપે  હોવું  જોઈએ !
" સંસ્કાર" એ તરસ ની તૃપ્તિ બને ,
તો  ખરૂં  ! બાકી," નિયમિત કસરત"
...એ નૃત્ય ગણાય નહીં...!
ઉમંગ ની અભિવ્યક્તિ વિનાનું..
અણીશુદ્ધ આકારોનું નૃત્ય ..
ભાષા બનતું નથી  !  ને નૃત્ય ..
મૂંગુ  હોતું નથી ..! એ મૌનની ભાષામા
હોય છે..! એ ભાષા , કાનથી  નહીં..
આંખથી ભીતરે ઉતરે છે...!!
                        -  સુરેશ પારેખ

No comments:

Post a Comment